ખેડૂત આંદોલન : કેન્દ્ર સરકારે ફરી એક વાર ખેડૂતોને વાતચીત માટે બોલાવ્યા

ખેડૂત નેતાઓ
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

કૃષિકાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને વાતચીત માટે ફરી એક વાર સરકારે બોલાવ્યા છે.

કેન્દ્રીય કૃષિમંત્રાલયે એક પત્ર લખીને ખેડૂતોના પ્રતિનિધિઓને 30 ડિસેમ્બરે બપોરે બે વાગ્યે વિજ્ઞાનભવનમાં વાતચીત માટે બોલાવ્યા છે.

આ પહેલાં ખેડૂતનેતાઓ અને વચ્ચે કેટલાય રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. જોકે, મામલાનો કોઈ ઉકેલ જણાયો નથી.

ખેડૂતોના નેતાઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. જોકે, એ વાતચીતનું પણ કોઈ પરિણામ આવ્યું નહોતું.

પંજાબ અને હરિયાણા સહિત ભારતનાં અલગઅલગ રાજ્યોના ખેડૂતો છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી હરિયાણા-દિલ્હીની સિંઘુ અને ટીકરી બૉર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે.

line

વધુ એક આંદોલનકારી ખેડૂતની આત્મહત્યા, PM માટે છોડ્યો અંતિમ પત્ર

કૃષિકાયદાઓને લઈને મોદી સરકારનો વિરોધ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કૃષિકાયદાઓને લઈને મોદી સરકારનો વિરોધ

રવિવારે સવારે દિલ્હીની સરહદ પર પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો પૈકી એકના ખેડૂત પ્રદર્શનકારી દ્વારા કથિત આત્મહત્યા કરી લેવાઈ હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે ટીકરી બૉર્ડર ખાતે BKU ઉગ્રહણના પ્રદર્શન સ્થળે આ આત્મહત્યાનો બનાવ બન્યો હતો. આત્મહત્યા કરનાર ખેડૂતનું નામ અમરજીત સિંઘ રાય હતું. તેમણે પાકને ઉંદરથી બચાવવા માટેની સલ્ફાસ ટૅબ્લેટ ગળીને આત્મહત્યા કરી હતી.

16 ડિસેમ્બરથી મૃતક ખેડૂત સાથે પ્રદર્શન સ્થળે પ્રદર્શન કરી રહેલા અન્ય એક ખેડૂત રામ કુમાર મુનશીએ ઘટના અંગે જણાવ્યું હતું કે, “રવિવારે સવારે 8.48 વાગ્યે તેમણે મને ફોન કરીને કહ્યું કે તેમણે સલ્ફાસ ટૅબ્લેટ ગળી છે. હું 8.55 સુધી તેમની પાસે પહોંચ્યો ત્યારે તેમણે મને બે ટાઇપ કરેલા પત્રો હાથમાં સોંપ્યા અને બેહોશ થઈ ગયા. અમે તેમને બહાદુરગઢની સિવિલ હૉસ્પિટલ લઈ ગયા. ત્યાંથી તેમને રોહતકની PGIમાં શિફ્ટ કરવામાં આવ્યા. જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.”

મૃત્યુ પહેલાં તેમણે સોંપેલા બે પત્રો પૈકી એક જલાલાબાદના સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ માટે હતો.

જેમાં જલાલાબાદ બાર ઍસોસિયેશન દ્વારા કૃષિકાયદાઓને લઈને ચાલી રહેલા ખેડૂત આંદોલનને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા પત્રનું શીર્ષક હતું, “આપખુદ મોદીને પત્ર”

આ પત્રમાં તેમણે વડા પ્રધાન મોદી અંબાણી અને અદાણી જેવા લોકો માટે વડા પ્રધાન બન્યા હોવાની વાત કરાઈ હતી. તેમજ પત્રમાં લખાયું હતું કે ખેડૂતો અને મજૂરો કૃષિકાયદાઓને કારણે છેતરાઈ ગયા હોવાનું અનુભવી રહ્યા છે.

આ દરમિયાન એક મહિનાથી વધારે સમયથી ચાલી રહેલા આંદોલન બાદ સરકાર સાથે ફરી વાતચીતની સંભાવના છે.

બીજી તરફ 29 ડિસેમ્બરના રોજ વાતચીત યોજવાના ખેડૂત સંગઠનના પ્રસ્તાવ અંગે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે, “મને આશા છે કે ખેડૂતો પરિસ્થિતિ અને કાયદાના સત્યને સમજશે અને વાર્તા થશે અને સમાધાન નીકળશે.”

તેમણે ખેડૂત સંગઠન દ્વારા વાતચીતનો પ્રસ્તાવ મોકલવાયાની વાતની સરાહના કરતાં કહ્યું કે, “તેમણે પત્ર લખ્યો છે, તે એક સારું પગલું છે. અમે તો વાતચીત માટે તૈયાર જ હતા. અમે વાતચીતથી મુદ્દાનો ઉકેલ લાવીશું.”

આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરી શકો છો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો