કોરોના વાઇરસથી મૃત્યુ થાય તો મૃતદેહની અંતિમવિધિ કેવી રીતે કરવી?

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસથી મૃત્યુ થાય તો મૃતદેહની અંતિમવિધિ કેવી રીતે કરવી?
પ્રકાશિત

ભારત સહિત દુનિયામાં કોરોના વાઇરસની મહામારીનો ભોગ બનનાર લોકોની સંખ્યા વધી રહી છે.

એક તરફ અલગ અલગ દેશોની સરકારો આ મહામારીથી લોકોને કેવી રીતે બચાવવા અને થનાર આર્થિક નુકસાનને કેવી રીતે પહોંચી વળવુ તેની ચિંતા કરી રહ્યા છે ત્યારે નિષ્ણાતો કોરાના વાઇરસથી મૃત્યુ બાદ મૃતદેહને કેવી રીતે હૅન્ડલ કરવો તેની ચિંતા કરી રહ્યા છે.

મૃતશરીરમાંથી કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા નથી. તેમ છતાં મૃતદેહની અંતિમવિધિ માટે ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઇડલાઇન જાહેર કરી છે.

કોરોના વાઇરસના સંક્રમણને કારણે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે, તેના શબપરિક્ષણ સમયે જો સાવચેતી ન રાખવામાં આવે તો ફેફસામાંથી ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહે છે.

ચેપી રોગો માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ડિસપોઝેબલ, મેડિકલ સાધનો અને મૃત શરીર માટે વિવિધ બાયોસેફ લેવલ નક્કી કર્યાં છે.

કોવિડ-19થી મૃત્યુ પામેલી વ્યક્તિ માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને બાયોસેફ-3 લેવલ નક્કી કર્યું છે.

line
કોરોના વાઇરસ
line

બાયોસેફ લેવલ -3 એટલે શું?

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

બાયોસેફ લેવલ ત્રણમાં મૃતદેહને લિકપ્રૂફ પ્લાસ્ટિકમાં પેક કરીને તેની અંતિમવિધિ કરવાનું કહેવામાં આવ્યું છે.

એટલે કે સમગ્ર મૃતદેહને પ્લાસ્ટિકમાં એવી રીતે પેક કરવાનો કે તેમાંથી કોઈ વસ્તુ લીક ના થાય.

ઉપરાંત એ પણ કહેવામાં આવ્યું છે કે અંતિમવિધિમાં તેમના સંબંધીઓ આ મૃતદેહને સ્પર્શ નહીં કરી શકે.

સ્વાસ્થમંત્રાલયની ગાઇડલાઇનમાં હેલ્થ વર્કર માટે કેટલાંક સાવચેતીનાં પગલાં અંગે વાત કરવામાં આવી છે.

જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ હાથની સફાઈનું ધ્યાન રાખે, પાણી જેમાં ન જાય તેવું એપ્રોન પહેરવું, હાથ મોજાં, માસ્ક અને આંખો ઢંકાય તેવાં ચશ્માં પહેરવાનું કહેવામાં આવ્યું છે.

મંત્રાલયની ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે પરિવારજનોએ મૃતદેહને ભેટવું, નવડાવવો કે કિસ કરવી નહીં.

ડૉક્ટરો માટે સલાહ આપવામાં આવી છે કે આવા દર્દીના મોત બાદ તેની ઑટોપ્સીથી દૂર રહેવું. જો તેના મોત અંગે શંકા હોય અને કારણ મળી શક્તું ના હોય તેવા કિસ્સામાં જ ઑટોપ્સી કરવી.

મીડિયા અહેવાલો અનુસાર યુરોપમાં કોવિડ-19ના મોત બાદ મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવે છે.

જો મૃતદેહની તાત્કાલિક અંતિમવિધિ ના કરવામાં આવે તો શબઘરમાં તેને 4-6 સેલ્સિયસ તાપમાનમાં રાખવામાં આવે છે.

WHO અને એઇમ્સ દ્વારા સલાહ આપવામાં આવી છે કે જો ધાર્મિક કારણોસર મૃતદેહને દફનાવવાની જરૂરિયાત ન હોય તો તેને અગ્નિદાહ જ આપવો. જોકે, દફનવિધિ સમયે પણ પરિવારજનો મૃતદેહને સ્પર્શ કરી શકતા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો