જવાહરલાલ નહેરુ : ગુજરાતના બાળકોથી લઈ અગ્રણીઓ સુધી નહેરુની લોકપ્રિયતા અખંડ હતી

પ્રકાશિત

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની ગુજરાત સાથે જોડાયેલી સ્મૃતિ તસવીરો સ્વરૂપે.

નેહરુની તસવીર

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇમેજ કૅપ્શન, સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આજે જન્મજયંતી છે. આ દિવસ બાલદિન તરીકે પણ ઊજવવામાં આવે છે. આ તસવીર નહેરુએ અમદાવાદની કાંકરિયા બાલવાટિકાની મુલાકાત લીધી હતી ત્યારની છે.
નહેરુની તસવીર

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇમેજ કૅપ્શન, ગુજરાતની જીવાદોરી સમી નર્મદા યોજનાનું વર્ષ 1961માં ખાતમુહુર્ત કર્યા પછી નહેરુએ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા સાથે સૂચિત પાવર પ્લાન્ટની ચર્ચા કરી હતી. (ફોટો:શુકદેવ ભચેચ)
નહેરુની તસવીર

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇમેજ કૅપ્શન, જવાહરલાલ નહેરુ વર્ષ 1954માં અમદાવાદની પી.આર.એલ. (ફિઝીકલ રિસર્ચ લેબૉરેટરી) મુલાકાતે આવ્યા હતા. ભારતીય અવકાશ વિજ્ઞાનના પ્રણેતા ડૉ. વિક્રમ સારાભાઈ સાથે તેમણે ત્યાં વાર્તાલાપ કર્યો હતો. (ફોટો:શુકદેવ ભચેચ)
નેહરુની તસવીર

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇમેજ કૅપ્શન, અમદાવાદની કાંકરિયા બાળવાટિકાની મુલાકાત દરમિયાન જવાહરલાલ નહેરુએ બાળકો સાથે કેટલીક પળો માણી હતી.
નહેરુની તસવીર

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇમેજ કૅપ્શન, વર્ષ ૧૯૫૬માં અમદાવાદના ટેક્ષટાઇલ મિલ ઉદ્યોગના અગ્રણીઓ અમૃતલાલ હરગોવનદાસ, અંબાલાલ સારાભાઈ અને વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ સાથે જવાહરલાલ નહેરુ મુલાકાત કરી રહ્યા છે. (ફોટો:શુકદેવ ભચેચ)
નહેરુની તસવીર

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇમેજ કૅપ્શન, નહેરુએ વર્ષ ૧૯૫૯માં અમદાવાદમાં એક જાહેર સભા સંબોધી હતી, મંચ પર જતા પહેલાંની તેમની લાક્ષણિક તસવીર. (ફોટો:શુકદેવ ભચેચ)