ગુજરાતના આ ગામમાં 300 વર્ષ કરતાં વધુ સમયથી હોળી પ્રગટાવાઈ નથી, શું છે કારણ?
ગુજરાતના આ ગામમાં 300 વર્ષ કરતાં વધુ સમયથી હોળી પ્રગટાવાઈ નથી, શું છે કારણ?
પ્રકાશિત
ગુજરાત સહિત દેશભરમાં ધુળેટીના આગલા દિવસે હોળીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં લોકો પોતાની સોસાયટીઓમાં રસ્તા ઉપર કે ગામડાંમાં ચોકમાં હોળી કરે છે.
છાણા અને લાકડાથી અગ્નિ પ્રગટાવવામાં આવે છે અને લોકો તેની પ્રદક્ષિણા કરે છે. આ દિવસે બાળકોને તાપ આપવાનો મહિમા છે.
નવજાત શિશુની પ્રથમ હોળી પણ પરિવાર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પર્વ હોય છે. જોકે, ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના એક ગામમાં લગભગ 300 વર્ષ કરતાં વધુ સમયથી હોળી પ્રગટાવાઈ નથી.
આ માટે ગ્રામજનોની એક માન્યતા કારણભૂત છે, તેના વિશે જાણો આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



