પાટણની કૉલેજમાં કથિત રેગિંગનો ભોગ બનેલા સુરેન્દ્રનગરના વિદ્યાર્થીના પરિવારે રડતી આંખે શું કહ્યું?
પાટણની કૉલેજમાં કથિત રેગિંગનો ભોગ બનેલા સુરેન્દ્રનગરના વિદ્યાર્થીના પરિવારે રડતી આંખે શું કહ્યું?
પ્રકાશિત
આક્રંદના આ દૃશ્યો સુરેન્દ્રનગરના જેસડા ગામના છે. આ પરિવારને પોતાના દિકરા અનિલ મથાનિયાને ડૉક્ટર બનાવવાના સપના સાથે પાટણની ધારપુર મેડિકલ કૉલેજમાં એમબીબીએસમાં એડમિશન અપાવ્યું. અહીં તે કથિત રેગિંગનો શિકાર બન્યો. રેગીંગના કારણે તેનું મૃત્યુ થયું હોવાના પરિવારજનોનો આરોપ છે. 18 વર્ષના યુવાન દીકરાનું મોત થતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.
અહેવાલ - સચીન પીઠવા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



