ગુજરાતમાં સિંહણના હુમલા કેમ વધી રહ્યા છે?
ગુજરાતમાં સિંહણના હુમલા કેમ વધી રહ્યા છે?
પ્રકાશિત
એશિયાટિક સિંહનું ઘર મનાતું રાજ્ય ગુજરાત આ પ્રાણીની હાજરી અને તેના સંવર્ધનના પ્રયાસો અંગે ઘણું ગૌરવ અનુભવે છે.
પરંતુ ઘણી વાર સિંહોના દબદબાવાળા વિસ્તારમાં સિંહ-માનવ ઘર્ષણના બનાવો સામે આવતા રહે છે.
ઘણી વાર સિંહ માનવવસાહતમાં પ્રવેશીને પશુનું મારણ કરતા હોય તેવાં દૃશ્યો પણ જોવા મળે છે.
કંઈક આવી જ રીતે કેટલાક કિસ્સામાં સિંહના માનવ પરના હુમલાના પણ સમાચાર આવે છે.
એવું જ કંઈક હાલ બની પણ રહ્યું છે. ગુજરાતમાં સિંહણના હુમલાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ આવું કયાં કારણોસર થઈ રહ્યું છે?
જાણો, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાં આ વલણ પાછળનાં કારણો અંગે.






