ગુજરાત : કાચી કેરીમાંથી આંબોળિયાં કેવી રીતે બને છે? મહીસાગરનાં આંબોળિયાં કેવી રીતે દેશની બજારમાં ખ્યાત થયાં?
ગુજરાત : કાચી કેરીમાંથી આંબોળિયાં કેવી રીતે બને છે? મહીસાગરનાં આંબોળિયાં કેવી રીતે દેશની બજારમાં ખ્યાત થયાં?
પ્રકાશિત
મહીસાગર જિલ્લાના બાલાસિનોર, સંતરામપુર, વીરપુર તથા લુણાવાડાનાં આંબોળિયાં ગુજરાતભરમાં ખૂબ જ પ્રખ્યાત છે અને દેશનાં અલગ-અલગ સ્થળોએ પણ તેની માગ રહે છે.
આંબા ઉતારવાથી માંડીને તેને બજાર સુધી પહોંચવામાં એક મહિના જેટલો સમય લાગે છે. એક વિશિષ્ટ ખાસિયત અહીંની કેરીઓને ખટાશ આપે છે.
આ પંથકના આંબોળિયાં ઉપરાંત આમચૂર પાઉડર પણ વિખ્યાત છે, જેનો ઉપયોગ રસોઈ દરમિયાન થાય છે.
આંબોળિયાં બનાવવાની પ્રક્રિયા તથા તેની ખટાશના રહસ્ય વિશે જાણવા માટે જુઓ આ વીડિયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



