અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા, ગુજરાતને અસર કરશે?
ગુજરાતમાં એક તરફ ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને બીજી તરફ અરબી સમુદ્રમાં હલચલ શરૂ થઈ ગઈ છે.
હાલ લક્ષદ્વીપ અને તેની આસપાસના વિસ્તારોમાં એક સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે.
હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં હજી વધારે મજબૂત બનશે અને પછી તે દરિયાની અંદર આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં હાલ મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે.
અરબી સમુદ્રમાં સિસ્ટમની વચ્ચે હવામાન વિભાગનું કહેવું છે ગુજરાતના બાકીના વિસ્તારોમાંથી પણ ચોમાસું 2 કે 3 દિવસોમાં વિદાય લે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.
ભારતમાં આ વર્ષે ચોમાસાના ચાર મહિના દરમિયાન સરેરાશ કરતાં વધારે વરસાદ પડ્યો છે અને ગુજરાતમાં ચોમાસામાં સરેરાશથી વધાર વરસાદ થયો છે.
આ અહેવાલમાં જાણીએ કે શું અરબી સમુદ્રમાં નવું વાવાઝોડું સર્જાવાનું છે અને જો અહીં વાવાઝોડું સર્જાય તો ગુજરાતમાં તેની અસર થઈ શકે છે કે કેમ.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



