રોજ કેટલાં પગલાં ચાલવું જોઈએ? આ અંગેનાં સંશોધનોમાં શું સામે આવ્યું?
રોજ કેટલાં પગલાં ચાલવું જોઈએ? આ અંગેનાં સંશોધનોમાં શું સામે આવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
હૃદયનું આરોગ્ય જાળવવાના હેતુસર ઘણી વાર આપણી આસપાસના લોકો, તબીબો અને અનુભવી વડીલો દરરોજ અમુક સમય સુધી ચાલવાની સલાહ આપે છે.
આધુનિક સમયમાં કેટલાક મેડિકલ વિજ્ઞાનના જાણકારો પણ અમુક હજાર પગલાં ચાલવાની ભલામણ કરતા રહેતા હોય છે.
તેના જાતભાતના લાભ ગણાવતા હોય છે.
પરંતુ ખરેખર કેટલાં પગલાં ચાલવાથી શરીરને સૌથી વધુ ફાયદો થાય?
આ અંગે નિશ્ચિત અનુમાન કાઢવા થયેલાં સંશોધનોમાં શું સામે આવ્યું છે?





