પંજાબમાં એક જ પરિવારનાં પાંચ સભ્યોને પરેડ કરાવાઈ, 'હું ચોર છું'નો મામલો શું છે?

વીડિયો કૅપ્શન, પંજાબમાં ત્રણ સગીરાઓના ચહેરા કાળા કરવાનો સમગ્ર મુદ્દો શું છે?
પંજાબમાં એક જ પરિવારનાં પાંચ સભ્યોને પરેડ કરાવાઈ, 'હું ચોર છું'નો મામલો શું છે?
પ્રકાશિત

પંજાબના લુધિયાણામાં એક જ પરિવારનાં પાંચ સભ્યોને પરેડ કરાવવામાં આવ્યાં હતાં. એ સમયે તેમનાં ગળામાં 'હું ચોર છું'ની તકતી લટકેલી હતી.

જેમાં ત્રણ સગીરાનો પણ સમાવેશ થતો હતો. આ પાંચેય લોકો લુધિયાણાની એક હૉઝિયરી ફેકટરીમાં કામ કરતા હતા.

એકમના માલિકને શંકા હતી કે આ લોકો તેની ફેકટરીમાંથી ચોરી કરે છે, એટલે તેણે આ પરેડ કરાવી હતી.

આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતાં પોલીસ સક્રિય બની ગયાં હતાં.

લુધિયાણામાં સગીરાઓના ચહેરા પર મેશ મસળાઈ

ઇમેજ સ્રોત, Harmandeep Singh/BBC

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.